હાલ જ્યારે સર્વત્ર લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો દીકરો ઋષભ રૂપાણી લગ્નગ્રંથીથી જોડાયો છે. હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાનાં લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.
તમને જણાવી દઈએ આ લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા. લગ્નના ફોટામાં તમે જોઈ શકશો કે, આ લગ્નમાં પોલિટિક્સ સાથે સંબંધ ધરાવતા દરેક મહાનુભાવોએ હાજર રહીને આ નવદંપતિને આર્શિવાદ આપ્યા હતા.
જો શ્રી વિજયભાઈ રૂપાણીના અંગત જીવન વિશે વાત કરીએ તો ભાગ્યે જ કોઈ તેમના પરિવાર વિશે જાણતું હશે. વિજયભાઈ રૂપાણી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, એમને એમની પત્ની સાથે લવમેરેજ કરેલા. વિજયભાઈ અને તેમના પત્ની અંજલિ બંને એક જ કોલેજમાં હતા અને બન્નેનો પ્રેમ લગ્નમંડપ સુધી પહોંચ્યો હતો અને આજે વિજય રૂપાણી અને તેમના પત્ની સુખી દામ્પત્યજીવન વિતાવી રહ્યા છે.હવે તેમના દીકરાએ પણ લવમેરેજ કર્યા છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે વિજય રૂપાણીના પુત્ર રૂષભ અને તેની જીવનસાથી અદિતી વર્ષ 2014થી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. વર્ષ 2007 થી 2013 સુધી ધોળકિયા સ્કૂલમાં રૂષભ રૂપાણી અને અદિતી માંડવીયા બંને સાથે અભ્યાસ કરતા હતા અને વર્ષ 2014માં કોલેજના સમય દરમિયાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ માસ્ટર ડિગ્રી મેળવવા માટે રૂષભ રૂપાણી અમેરિકા ગયા હતા. જ્યારે અદિતિએ વેલ્લોરમાં માસ્ટર ડિગ્રીનો કોર્ષ કરવા ગઈ હતી.
એ સમય આ દરમિયાનબંને વચ્ચે ચાર વર્ષ જેટલી લોન્ગ ડિસટન્સ રિલેશનશીપ પણ રહી છે. અને એ પછી છેવટે બંનેનો પ્રેમ લગ્નમંડપ સુધી પહોંચી ગયો.
17 એપ્રિલના રોજ વિજય રૂપાણીના પુત્ર રૂષભના લગ્ન થયા છે. હવે ગાંધીનગર ખાતે પણ એક રિસેપ્શન રાખવામાં આવશે. વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નમાં આ નવદંપતીને આશીર્વાદ આપવા માટે અનેક મહાનુભાવો આવ્યા હતા.
રાયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, રાઘવજીભાઈ પટેલ, બ્રિજેશભાઈ મેરજા, આર.સી. ફળદુ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય, સંસદસભ્ય પૂનમબેન માડમ, રિલાયન્સના પરિમલભાઈ નથવાણી, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા.
આ સિવાય ધનરાજભાઈ જેઠાણી, એડિટર એન્ડ ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, એડિટર કાના બાંટવા. કલેકટર અરૂણ મહેશ બાબુ, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, મેયર પ્રદીપભાઈ ડવ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, ત્યાગવલ્લભ સ્વામી, સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર, ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ, ધનસુખભાઈ ભંડેરી, માંધાતાસિંહ જાડેજા.
પ્રદેશ ભાજપના ભરતભાઈ બોઘરા, સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, કમલેશભાઈ મિરાણી, કુંવરજીભાઈ બાવળિયા, અશોક ડાંગર, મહેશ રાજપૂત, પ્રદિપ ત્રિવેદી ઉપરાંત સ્થાનિક અધિકારીઓ, રાજકારણીઓ, ઉધોગપતિઓ, બિલ્ડરો, તંત્રીઓએ આ લગ્નમાં હાજરી આપી એ નવવિવાહિત કપલને આશીર્વાદ આપ્યા હતા.