The Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ

09/07/2022

હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ

09/06/2022

ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ

09/06/2022
Monday, March 27
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
The Gujju MotivationsThe Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ
The Gujju Motivations
Home » આ ઉપાય કરવાથી જલ્દી પ્રસન્ન થાય છે શનિદેવ, નથી પડતી શનિની અશુભ છાયા
Religious

આ ઉપાય કરવાથી જલ્દી પ્રસન્ન થાય છે શનિદેવ, નથી પડતી શનિની અશુભ છાયા

The Gujju MotivationBy The Gujju Motivation01/08/2022Updated:03/09/2022No Comments
shani-upay-know

કર્મ ફળદાતા શનિદેવના પ્રકોપથી મનુષ્યના જીવનમાં નોકરી, વેપાર, સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો આવતી રહે છે.આપણા પુરાણોમાં શનિદેવને સૂર્યના પુત્ર અને કામના ફળ આપનાર કહેવામાં આવ્યા છે. શનિ એક એવો ગ્રહ છે જે તમારું ભાગ્ય ચમકાવીને તમને રાજા બનાવી શકે છે અને જો તે રિસાઈ જાય છે તો તે તમને રાજામાંથી રંક પણ બનાવી શકે છે. તે બધું તમારી કુંડળીમાં શનિની સ્થિતિ પર આધારિત છે. તેથી, શનિના ધૈય્યા અથવા સાડા સાતીથી પ્રભાવિત લોકો ખૂબ જ પરેશાન થાય છે. જ્યારે શનિ અશુભ ફળ આપે છે ત્યારે વ્યક્તિ ખરાબ સમયમાંથી પસાર થાય છે અને તેને જીવનમાં સંઘર્ષ કરવો પડે છે.આ તકલીફોના નિવારણ માટે શનિવારના દિવસે શનિદેવની ખાસ પૂજા અને અમુક ઉપાય કરવા લાભદાયક જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણી લઈએ શનિવારના દિવસે કયો ઉપાય કરવાથી શનિ શુભ ફળ આપે છે.

છાયા દાન :-

શનિવારના દિવસે એક લોખંડની વાટકીમાં સરસવનું તેલ લો અને એમાં તમારો ચહેરો જોઈ લો. એ પછી આ તેલને શનિ મંદિરમાં દાન કરી દો. આવું અમુક શનિવાર સુધી સતત કરવાથી શનિ સાથે જોડાયેલી સમસ્યાઓ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. એ સિવાય રોટલી પર સરસવનું તેલ લગાવીને શનિવારના દિવસે કાળા કૂતરાને ખવડાવો

દાન પોટલી :-

જીવનમાં આવતી પરેશાનીઓને દૂર કરવા માટે શનિવારે એક કિલો સપ્તધન, અડધો કિલો કાળા તલ, અડધો કિલો કાળા ચણા, થોડી લોખંડની ખીલીઓ, સરસવના તેલની એક શીશી લો અને આ બધી વસ્તુઓને વાદળી કપડામાં બાંધીને પોટલી બનાવી લો. હવે આ પોટલી શનિ મંદિરમાં દાન કરો અને શનિદેવને તમારા દુ:ખ દૂર કરવા પ્રાર્થના કરો

મંત્રનો જાપ કરો :-

શનિવારના દિવસે આ બે મંત્ર ‘ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नम’ અને ‘ॐ शं शनिश्चरायै नमः’નો યથાશક્તિ જાપ કરો.શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસા અને શનિદેવની આરતી પણ કરો. શનિદેવની પ્રસન્નતા માટે વ્યક્તિએ શનિવારે વ્રત રાખવું જોઈએ અને ગરીબ લોકોની મદદ કરવી જોઈએ, આવુ કરવાથી જીવનમાં આવતા સંકટ દૂર થવા લાગે છે.

પીપળાની પૂજા :-

શનિવારે સૂર્યોદય પહેલા અથવા સૂર્યાસ્ત પછી પીપળાની પૂજા કરવાથી તમારા ઉપર શનિદેવની કૃપાની સાથે સાથે લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ સાથે ભગવાન શ્રી કૃષ્ણએ પીપળાને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે, શનિદેવ પણ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે. આવી સ્થિતિમાં શનિવારે પીપળાની પૂજા કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના કષ્ટો દૂર કરે છે.

હનુમાનજીની ઉપાસના :-

હનુમાનજીની ઉપાસના કરનારાઓ પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે, તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે શનિ પૂજાની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ. જો તમે શનિદેવની કૃપા મેળવવા માગતા હોવ તો સૂર્યાસ્ત પછી હનુમાનજીની પૂજા કરી હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો.

Post Views: 260
Share. Facebook Telegram WhatsApp
Previous Articleઔષધીય ગુણોથી ભરપૂર દૂધીનાં છે આ ઉમદા ફાયદા, તમે પણ જાણી લો
Next Article હૃદયરોગનો હુમલો થયા પછી ભૂલથી પણ ન ખાઓ આ વસ્તુઓ

Related Posts

આ ત્રણ રાશિના જાતકો પર હંમેશા રહે છે બાપ્પાની કૃપા, કોઈ કામમાં નથી આવતું અડચણ

By The Gujju Motivation

ક્યાંક બરબાદીની દિશામાં તો નથી ખુલતોને તમારા ઘરનો દરવાજો, જાણો શુ કહે છે વાસ્તુશાસ્ત્ર

By The Gujju Motivation

ઘરે કરી રહ્યા છો ગણપતિ સ્થાપના, તો આ રીતે સજાવો ગણેશજીનું મંદિર

By The Gujju Motivation

પૂજામાં આસનનું શુ છે મહત્વ? ભૂલથી પણ ન કરતા આવી ભૂલ

By The Gujju Motivation
Add A Comment

Leave A Reply Cancel Reply

Like Us On Facebook
Categories
  • ajab gajab
  • Bollywood
  • Business
  • Gujrat
  • Health
  • India
  • Life Special
  • Manoranjan
  • News
  • Politics
  • quotes
  • Religious
  • sports
  • Stories
  • Technology
  • Trending
  • Uncategorized
  • Word
Recent Posts
  • 10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ
  • હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ
  • ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ
  • જીવનમાં શિક્ષકો કેમ હોય છે જરૂરી? જાણો એક ટીચરનું મહત્વ

ABOUT US

The Gujju Motivation is a popular news portal of India. We specially cover positive, informative and important news, business ideas & updates, guidelines for students. The Gujju Motivation is now registered under udyog aadhar (UAM INDIA) in India with Reg. No- UDYAM-GJ-22-0160277.

  • Contact us: support@thegujjumotivation.com
  • Important Links
    • Fact Checking Policy
    • Ethics Policy
    • Correction Policy
    • Editorial Team Information
    • Ownership & Funding Information
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms & Conditions
    © 2022. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.