The Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ

09/07/2022

હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ

09/06/2022

ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ

09/06/2022
Sunday, March 19
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
The Gujju MotivationsThe Gujju Motivations
  • હૉમ
  • સુવિચાર
  • ધાર્મિક
  • વાર્તા
  • સેલ્ફ ઇમ્પ્રૂવ્મન્ટ
The Gujju Motivations
Home » અહીંયા આવેલું છે ભગવાન ભોલેનાથનું સાતમું જ્યોતિર્લિંગ, જાણો એનો ઇતિહાસ અને એ સાથે જોડાયેલી માન્યતાઓ
Religious

અહીંયા આવેલું છે ભગવાન ભોલેનાથનું સાતમું જ્યોતિર્લિંગ, જાણો એનો ઇતિહાસ અને એ સાથે જોડાયેલી માન્યતાઓ

The Gujju MotivationBy The Gujju Motivation01/03/2022Updated:03/09/2022No Comments
the-seventh-jyotirlinga-of-lord-bholenath

ભગવાન ભોલેનાથ બધા ભક્તોની મનોકામના પુરી કરે છે. ધાર્મિક માન્યતાઓને આધારે ભગવાન શિવના પ્રતીક રૂપે 12 જ્યોતિર્લિંગ સામેલ છે. દેશના જુદા જુદા ભાગોમાં આ જ્યોતિર્લિંગ સ્થાપિત છે.એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથ સ્વયં આ 12 જ્યોતિર્લિંગોમાં નિવાસ કરે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવના આ જ્યોતિર્લિંગના દર્શનથી જ વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે ભગવાન ભોલેનાથનું સાંત્વન જ્યોતિર્લિંગ ખૂબ ચર્ચામાં છે. ચાલો જાણીએ ભગવાન શિવના આ જ્યોતિર્લિંગ વિશે. કાશીને હિન્દુ ધર્મનું પવિત્ર શહેર વારાણસી તરીકે પણ ઓળખવામાં આવે છે.

માન્યતા છે કે ભગવાન વિશ્વનાથ અહીંયા બ્રહ્માંડના સ્વામી તરીકે નિવાસ કરે છે. અહીંયા એક એવું નગર છે જેના વિશે શિવ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ નગર છે ત્યાં સુધી સૃષ્ટિનો અંત નહિ થાય. તો ચાલો જાણી લઈએ એ વિશેના ઇતિહાસ અને માન્યતાઓ વિશે.

12 જ્યોતિર્લિંગમાંથી સાતમું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર, વારાણસીમાં ગંગા નદીના પશ્ચિમ ઘાટ પર આવેલું છે. કાશીને ભગવાન શિવ અને માતા પાર્વતીના સૌથી પ્રિય સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાદેવના દર્શન પહેલા, બાબા વિશ્વનાથના દર્શન પહેલા ભૈરવજીના દર્શન કરવા જરૂરી માનવામાં આવે છે.

એ પાછળ માન્યતા છે કે ભૈરવ જીના દર્શન વગર વિશ્વનાથના દર્શનનો લાભ નથી મળતો. માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પણ કાશીમાં જ તપસ્યા કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા. કાશી નગરી ભગવાન ભોલેનાથને એટલી પ્રિય છે કે એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભોલે બાબા અને માતા પાર્વતી કાશી ભ્રમણ જરૂર કરે છે.

કાશી વિશ્વનાથ મંદિરનો ઈતિહાસ ઘણો લાંબો છે. પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતી સાથેના લગ્ન પછી ભગવાન શિવ કૈલાસમાં રહેતા હતા અને માતા પાર્વતી તેમના પિતાના ઘરે રહેતા હતા. જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમની સાથે લઈ જવાની વિનંતી કરી, ત્યારે ભગવાન ભોલેનાથે તેમની આજ્ઞા માની અને તેમને કાશી લઈ આવ્યા અને અહીં તેઓ વિશ્વનાથ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા.

એ ઉપરાંત મહાભારત અને ઉપનિષદમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. જો કે આ મંદિરનું નિર્માણ કોને કર્યું એ વિશે કોઈ ઉલ્લેખ નથી. પણ વર્ષ 1194માં મોહમ્મદ ગોરીએ આ મંદિરને લૂંટયા પછી એને તોડાવી નાખ્યું હતું. ઇતિહાસકારો અનુસાર વિશ્વનાથ મંદિરનો જીનોદ્ધાર અકબરના નવરત્નમાંથી એક રાજા ટોદરમલે કરાવ્યો હતો. તેણે અકબરના આદેશ પર નારાયણ ભટ્ટની મદદથી વર્ષ 1585માં તેનું જીનોદ્ધાર કરાવ્યું. 10મી સદીના અંતથી, મંદિર અને શહેરને વિદેશી આક્રમણોના અનંત આક્રમણનો સામનો કરવો પડ્યો. તેનું હાલનું સ્વરૂપ- બે નાના સ્પાયર્સથી ઘેરાયેલું કેન્દ્રીય શિખર 1780 માં મરાઠા રાણી અહલ્યાબાઈ હોલકરે બાંધ્યું હતું. તે પછી એકમાત્ર મોટો ઉમેરો 1839 માં થયો હતો, જ્યારે મહારાજા રણજીત સિંહ દ્વારા ભેટમાં સોના સાથે બે શિખરો હતા.

વારાણસી મોક્ષ પ્રાપ્તિનું સ્થાન માનવામાં આવે છે. એક માન્યતા એ પણ છે કે મહાદેવ ખુદ અહીંયા મરણાસન્ન વ્યક્તિના કાનમાં તારક મંત્રનો ઉપદેશ સંભળાવે છે. એનો ઉલ્લેખ મત્સ્ય પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. પ્રલય આવ્યો તો પણ કાશીને ક્યારેય કઈ નથી થયું એવું એટલા માટે કારણ કે કહેવાય છે કે કઈ થાય એ પહેલાં જ ભોલેનાથ ખુદ કાશીને એમના ત્રિશુલ પર ઉઠાવી લે છે અને એ રીતે કાશી સુરક્ષિત થઈ જાય છે

Post Views: 163
Share. Facebook Telegram WhatsApp
Previous Articleઆ 12 સંકેતથી જાણો કે ક્યાંક તમારા શરીરમાં પ્રોટીનની કમી તો નથી ને જુવો
Next Article આ 5 ભૂલોના કારણે બરબાદ થયું ગોવિંદાનું કરિયર, નહિ તો આજે પણ હોત સુપરસ્ટાર

Related Posts

આ ત્રણ રાશિના જાતકો પર હંમેશા રહે છે બાપ્પાની કૃપા, કોઈ કામમાં નથી આવતું અડચણ

By The Gujju Motivation

ક્યાંક બરબાદીની દિશામાં તો નથી ખુલતોને તમારા ઘરનો દરવાજો, જાણો શુ કહે છે વાસ્તુશાસ્ત્ર

By The Gujju Motivation

ઘરે કરી રહ્યા છો ગણપતિ સ્થાપના, તો આ રીતે સજાવો ગણેશજીનું મંદિર

By The Gujju Motivation

પૂજામાં આસનનું શુ છે મહત્વ? ભૂલથી પણ ન કરતા આવી ભૂલ

By The Gujju Motivation
Add A Comment

Leave A Reply Cancel Reply

Like Us On Facebook
Categories
  • ajab gajab
  • Bollywood
  • Business
  • Gujrat
  • Health
  • India
  • Life Special
  • Manoranjan
  • News
  • Politics
  • quotes
  • Religious
  • sports
  • Stories
  • Technology
  • Trending
  • Uncategorized
  • Word
Recent Posts
  • 10 વર્ષની ઉંમરમાં બિઝનેસમેન બન્યો શિલ્પા શેટ્ટીનો દીકરો, યુનિક સ્ટાર્ટઅપ પર શુ કહ્યું અભિનેત્રીએ
  • હસબન્ડ શબ્દ પર થઈ બબાલ, નથી ઉપયોગ કરવા માંગતી સ્ત્રીઓ, જાણો શુ થાય છે અર્થ
  • ઝડપથી વધી રહ્યું છે વજન? ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા ને આવી ભૂલ
  • જીવનમાં શિક્ષકો કેમ હોય છે જરૂરી? જાણો એક ટીચરનું મહત્વ

ABOUT US

The Gujju Motivation is a popular news portal of India. We specially cover positive, informative and important news, business ideas & updates, guidelines for students. The Gujju Motivation is now registered under udyog aadhar (UAM INDIA) in India with Reg. No- UDYAM-GJ-22-0160277.

  • Contact us: support@thegujjumotivation.com
  • Important Links
    • Fact Checking Policy
    • Ethics Policy
    • Correction Policy
    • Editorial Team Information
    • Ownership & Funding Information
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Disclaimer
    • Terms & Conditions
    © 2022. All Rights Reserved.

    Type above and press Enter to search. Press Esc to cancel.